Total Pageviews

Wednesday 9 April 2014

ઉમાશંકર જોષી

ઉમાશંકર જોષી

ઉમાશંકર જોષી
Umashankarjoshi.jpg
ઉમાશંકર જોષી
જન્મની વિગત૨૧-૦૭-૧૯૧૧
બામણાસાબરકાંઠા જિલ્લોગુજરાત
મૃત્યુની વિગત૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇમહારાષ્ટ્રભારત
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસબી.એ.- એમ.એ.
વ્યવસાયસાહિત્યકાર (કવિ, નવલકથાકાર) તથા શિક્ષણ
ખિતાબ
ધર્મહિંદુ
સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા. તેઓને ૧૯૬૭માં
 ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા
 આવ્યા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોરમહાત્મા ગાંધી ની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન
 સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

શિક્ષણ

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત
 કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં
 એમ.એ. ઉત્તીર્ણ કર્યું.

અંગત જીવન

તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) 
ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના
 માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનો નામ :
 રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં
 તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. તેમની પુત્રીઓના નામ નંદિની અને સ્વાતિ છે.

રચનાઓ

  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
  • એકાંકી- સાપના ભારા, હવેલી
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત
  • વિવેચન – 'અખો' એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • બાળગીત - સો વરસનો થા
  • સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪

પુરસ્કારો/એવોર્ડ્સ

સભ્યપદ/હોદ્દાઓ

No comments:

Post a Comment