વર્ષા અડાલજા
વર્ષા અડાલજા ગુજરાત રાજ્યના વતની અને જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા
લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય પણ સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર
પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે.[૧] તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત
ભાગ સહિત ૪૦ પુસ્તકો લખ્યા છે.[૧]તેમને તેમની નવલકથા અણસાર માટેસાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં
આવ્યો હતો.
સવિશેષ પરિચય
ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ.(માસ્ટર ઓફ આર્ટસ)
ની ઉપાધી મેળવી હતી.ત્યારબાદ તેમણે ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી મુંબઈ આકાશવાણી માં પ્રવકતા તરીકે કાર્ય કર્યુ.
૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’ નાં તંત્રી રહ્યા હતા. તેઓ ૧૯૬૬ થી લેખન ક્ષેત્રે સંકળાયેલા છે.
નવલકથા[
- ‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮)
- વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬)
- ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦)
- જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬)
લઘુનવલકથા
- ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)
- ‘એક પળની પરખ’ (૧૯૬૯)
- ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯)
- ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧)
- ‘રેતપંખી’ (૧૯૭૪)
- ‘અવાજનો આકાર’ (૧૯૭૫)
- ‘છેવટનું છેવટ’ (૧૯૭૬)
- ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)
- ‘પાછાં ફરતાં’ (૧૯૮૧)
- ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩)
- ‘પગલાં’ (૧૯૮૩)
રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. (- દક્ષા વ્યાસ)
રેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને
પરણીને પૂર્વપત્નીના મૃતવ્યક્તિત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં, વયસ્ક સાવકાં પુત્રપુત્રી અમલા-વિનયના
પ્રતિકારમાં અને કાકાની દીકરી બહેન તારાના પુનઃપરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ સંબંધરેખાઓ ઉપસાવે છે એની
મનોગતિનો અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લઘુનવલમાં ફિલ્મી મનો વિશ્લેષણ પદ્ધતિના પડેલા
ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
વાર્તાસંગ્રહ
- ‘એ’ (૧૯૭૯)
- ‘સાંજને ઉંબર’ (૧૯૮૩)
એવોર્ડ
- સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)[૨]
- ગુજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫)[૨]
- ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦)[૨]
- સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૯૩)
No comments:
Post a Comment