Total Pageviews

Friday 2 May 2014

રિચાર્જ

રિચાર્જ – અનિલ ભટ્ટ


પૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’
‘હા, બેટા.’
‘અરે કહું છું, સાંભળો છો ? ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો !
અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો !’
‘જી, મેડમ !’
રિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે ?
કેટલાનું રિચાર્જ કરાવ્યું ? ક્યારે રિચાર્જ કરવાનું છે ? હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું !’
…. સતત આવા શબ્દો સાંભળવા મળે છે. આપણને મોબાઈલ રિચાર્જ કરવાનું યાદ આવે છે !
પણ તમે રિચાર્જ થયા ? ક્યારે થશો ?
પોતાની જાતને પણ રિચાર્જ કરવી અત્યંત જરૂરી છે, દોસ્તો !
જે આપણે સાવ ભૂલી ગયા છીએ !
આપણું રિચાર્જ આપણા જ હાથમાં છે !
છતાં આપણને ‘આપણને’ રિચાર્જ કરવાનું યાદ આવતું નથી !
હું જીવંત છું ‘અનિલ’, કારણ કે રિચાર્જ થાઉં છું,
મોર્નિંગ વૉકથી, કવિતા વાર્તા લખવાથી
અને વાંચવાથી અને ખાસ ‘પ્રયત્ન’ સતત પ્રગટ કરતા રહેવાથી,
મનગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે સમયને ચોરતા ક્યારે શીખશો ! ને ક્યારે રીચાર્જ થશો ???!!

No comments:

Post a Comment